
વીડિયો ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હીમવર્ષાને કારણે વિકટ સ્થિતિ સર્જાઈ છે. ચાર દિવસથી અવિરત બરફ વરસતાં શ્રીનગર, શોપિયા, કુલગામ, ગાંદરબલ અને અનંતનાગ સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ મકાનો ધરાશાયી થયાં છે. બરફનો વજન વધી જતાં છતના ભાગેથી લગભગ અડધે સુધી મકાનો ભાગ તૂટી ગયા છે. સતત હીમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે ચોથા દિવસે પણ બંધ છે, જેને કારણે સંખ્યાબંધ વાહનચાલકો અધવચ્ચે ફસાઈ ગયાં છે. આ તરફ શ્રીનગર એરપોર્ટમાં પણ બરફ પથરાઈ જતાં ચાર દિવસથી હવાઈસેવા પણ ઠપ થઈ ગઈ છે. બરફવર્ષાને કારણે થયેલી દુર્ઘટનામાં CRPFના સબ ઈન્સ્પેક્ટર સહિત ચાર લોકોનાં મોત થયાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35iXLjU
0 ટિપ્પણીઓ